મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને રાખી જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ
SHARE
મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને રાખી જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ
મોરબી શહેરમાં આવેલી મચ્ચુ નદી કે જે મોરબીની વચ્ચો વચ્ચ નિકળે છે આ મોરબી શહેરના બન્ને કાઠાંઓને જોડતો રાજાશાહી વખતનો આશરે ૧૪૦ વર્ષ પહેલા એક ઝુલતો પુલ બનાવવામાં આવેલ હતો આ પુલ ગઇ તા.૩૦-૧૦ ના રોજ તુટી ગયો હતો.મોરબીની આ ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ ગયેલ છે.બનેલ દુર્ધટનામાં દિવંગત આત્માઓને આદર ચિન્હ તરીકે સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવેલ છે આ દિવસ નિમિતે મોરબી સબ જેલ ખાતે પરમ પિતા બ્રહ્મકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય-મોરબી સાથે મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તથા સબ જેલર એ.આર.હાલપરા સાથે જેલ સ્ટાફ તેમજ જેલમાં રહેલા અંતેવાસીઓ દ્રારા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવેલ તેમજ દુર્ધટના દિવંતગ આત્માઓને શાંતી મળે તે માટે બે મિનિટ મૌન રાખવામાં આવેલ હતુ તથા પ્રાર્થના સભા કરવામાં આવેલ અને પ્રજા પિતા બ્રહ્મ કુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય મોરબી દ્રારા જેલમાં રહેલા અંતેવાસીઓના જીવનમાં પરિવર્તન આવે તેવા વિચારો વ્યક્ત કરી મોરબી સબ જેલના અધિક્ષક પટણી દ્રારા દુર્ધટનામાં દિવંગત આત્માઓને ભગવાન શાંતી આપે તેવી પ્રાર્થના સાથે કાર્યક્ર્મનું સમાપન કરવામાં આવ્યુ હતુ.









