મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને રાખી જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ


SHARE









મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને રાખી જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ

મોરબી શહેરમાં આવેલી મચ્ચુ નદી કે જે મોરબીની વચ્ચો વચ્ચ નિકળે છે આ મોરબી શહેરના બન્ને કાઠાંઓને જોડતો રાજાશાહી વખતનો આશરે ૧૪૦ વર્ષ પહેલા એક ઝુલતો પુલ બનાવવામાં આવેલ હતો આ પુલ ગઇ તા.૩૦-૧૦ ના રોજ તુટી ગયો હતો.મોરબીની આ ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ ગયેલ છે.બનેલ દુર્ધટનામાં દિવંગત આત્માઓને આદર ચિન્હ તરીકે સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવેલ છે આ દિવસ નિમિતે મોરબી સબ જેલ ખાતે પરમ પિતા બ્રહ્મકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય-મોરબી સાથે મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તથા સબ જેલર એ.આર.હાલપરા સાથે જેલ સ્ટાફ તેમજ જેલમાં રહેલા અંતેવાસીઓ દ્રારા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવેલ તેમજ દુર્ધટના દિવંતગ આત્માઓને શાંતી મળે તે માટે બે મિનિટ મૌન રાખવામાં આવેલ હતુ તથા પ્રાર્થના સભા કરવામાં આવેલ અને પ્રજા પિતા બ્રહ્મ કુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય મોરબી દ્રારા જેલમાં રહેલા અંતેવાસીઓના જીવનમાં પરિવર્તન આવે તેવા વિચારો વ્યક્ત કરી મોરબી સબ જેલના અધિક્ષક પટણી દ્રારા દુર્ધટનામાં દિવંગત આત્માઓને ભગવાન શાંતી આપે તેવી પ્રાર્થના સાથે કાર્યક્ર્મનું સમાપન કરવામાં આવ્યુ હતુ.






Latest News