મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
SHARE
મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
મોરબીમાં બનેલ ગોજારી જુલતા પુલ હોનારતમાં સંખ્યાબંધ મનાવ જીન્દગીનો ભોગ લેવાયો હતો. મોરબી આ આઘાતને ક્યારેય નહિ ભૂલી શકે. સમગ્ર મોરબી શોકગ્રસ્ત અને હતપ્રભ છે ત્યારે આ હતભાગી દિવંગતોના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે માટે પી.જી.પટેલ કોલેજ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં કોલેજ પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆતમાં મૃતાત્માઓની શાંતિ માટે અંજલી ગીતનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના પ્રમુખ તથા આચાર્ય દ્વારા શાબ્દિક શ્રધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાયત્રી મંત્રના જાપ તેમજ બે મીનીટનું મૌન પાડવામાં આવ્યું હતું.









