મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?


SHARE













મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?

મોરબીનો ઝુલતો પુલ રવિવારે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ધડાકાભેર તૂટી પડ્યો હતો અને લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી તેમજ લોકોના હૈયાફાટ રૂદન અને આક્રદના દ્રશ્યો મચ્છુ નદીના પટમાં સર્જાયા હતા કારણ કે, કોઈએ પોતાનો દીકરો, કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાના સંતાનો, કોઈએ પોતાના ભાઇ-બહેન, કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા હતા જેથી કરીને લોકો નોંધારા બની ગયા હતા અને કોઈપણ પ્રકારની સહાય આવે ત્યાં સુધી તેમની નજર સામે પોતાના સ્વજનોને મચ્છુ નદીના પાણીમાં ડૂબતા જોવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખરેખર ઝુલતો પુલ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર કેટલા લોકો હતા આ બાબતને લઈને તપાસ કરતા ડીવાયએસપી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૩૫૦ થી ૪૦૦ જેટલા લોકો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર હાજર હતા જોકે જે ભાગ હેંગિંગ થાય છે ત્યાં અંદાજે ૩૦૦ જેટલા લોકો હોવાની માહિતી હાલમાં મળી રહી છે પરંતુ ચોક્કસપણે ત્યાં કેટલા લોકો હતા તેના નજીકના આંકડા સુધી પહોંચી શકાય તેના માટે ટેકનિકલ ટીમ અને અન્ય તમામ ટીમો દ્વારા જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે






Latest News