ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?


SHARE













મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?

મોરબીનો ઝુલતો પુલ રવિવારે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ધડાકાભેર તૂટી પડ્યો હતો અને લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી તેમજ લોકોના હૈયાફાટ રૂદન અને આક્રદના દ્રશ્યો મચ્છુ નદીના પટમાં સર્જાયા હતા કારણ કે, કોઈએ પોતાનો દીકરો, કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાના સંતાનો, કોઈએ પોતાના ભાઇ-બહેન, કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા હતા જેથી કરીને લોકો નોંધારા બની ગયા હતા અને કોઈપણ પ્રકારની સહાય આવે ત્યાં સુધી તેમની નજર સામે પોતાના સ્વજનોને મચ્છુ નદીના પાણીમાં ડૂબતા જોવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખરેખર ઝુલતો પુલ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર કેટલા લોકો હતા આ બાબતને લઈને તપાસ કરતા ડીવાયએસપી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૩૫૦ થી ૪૦૦ જેટલા લોકો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર હાજર હતા જોકે જે ભાગ હેંગિંગ થાય છે ત્યાં અંદાજે ૩૦૦ જેટલા લોકો હોવાની માહિતી હાલમાં મળી રહી છે પરંતુ ચોક્કસપણે ત્યાં કેટલા લોકો હતા તેના નજીકના આંકડા સુધી પહોંચી શકાય તેના માટે ટેકનિકલ ટીમ અને અન્ય તમામ ટીમો દ્વારા જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે






Latest News