માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ ઓરેવા કંપનીએ પહોચી


SHARE













મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ ઓરેવા કંપનીએ પહોચી

મોરબીમાં ઓરેવા ગ્રૂપને જે ઝૂલતા પુલની જવાબદારી આપવામાં આવી હતી તે પુલ તૂટી પડ્યો છે જેથી કરીને આ પુલનું મેનેજમેંટ અને મેંટેનસ કરનાર એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે અને તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના કર્મચારીને પકડવામાં આવેલ છે અને તેને સાથે રાખીને ઓરેવા કંપની ખાતે તપાસ કરવામાં આવી હતી અને પુલ માટે પાલિકા સાથે કરવામાં આવેલા કરારના મહત્વના દસ્તાવેજી પુરાવા ત્યાંથી કબજે કરવામાં આવેલ છે તેવું જાણવા મળી રહયું છે

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયેલ છે અને આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર ગણવામાં આવતા ઓરેવા ગ્રુપના સુપીમો જયસુખભાઈ પટેલના નામનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી અને હજુ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો કે, જે ફરિયાદ નોંધાઈ છે તેના આધારે ઓરેવા ગ્રૂપના કર્મચારીઓને પકડવામાં આવેલ છે અને કામ કરનારા એજન્સીના માણસોને પણ પકડવામાં આવેલ છે દરમ્યાન જે ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તે પૈકીનાં દીપકભાઈ પારેખને સાથે રાખીને તપાસનીશ અધિકારી  દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ તપાસ માટે દીપકભાઈને સાથે રાખીને અધિકારી ઓરેવા કંપનીએ પહોચ્યા હતા અને ત્યાંથી મોરબી પાલિકા સાથે કરવામાં આવેલ કરારના મહત્વના દસ્તાવેજી પુરાવા પોલીસે કબ્જે કરેલ છે તેવી માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે 






Latest News