મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો
SHARE
મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો
મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી કરીને આ ઘટનાને રાજવી પરિવારે આઘાતજનક કહીને બુધવારે મૃતકના પરિવારજનોને એક એક લાખની સહાય આપવાની રાજવી પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી અને ગુરુવારે મોરબીના દરબાર ગઢ ખાતે રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખવામા આવ્યો હતો ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ સહિતના ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યારે ઝૂલતા પૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ સહિતના જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા હતા જેથી મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર આ ઘટનાને અત્યંત આઘાતજનક ઘટના ગણાવી છે અને રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખ્યો હતો તેમાં મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના મોરબીના લોકો હાજર રહ્યા હતા અને ઝુલતો પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી









