મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા


SHARE















મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા

જુલતા પુલની દુર્ઘટના બન્યા પછી હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીમાંથી મળેલ નથી અને હજુ પણ રેસક્યું ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જુદી જુદી એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય લેવાશે તેવું મોરબી જિલ્લા કેળક્ટરે જણાવ્યું છે

ગત રવિવારના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા અનેક પરિવારોમાંથી ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ૧૩૫ લોકોના મૃત્યુ નોંધાય છે ત્યારે રાહત કમિશ્નર હર્ષદ પટેલ ઘટના સ્થળે આવ્યા હતા ત્યાર બાદ પત્રકારોને કલેકટરે માહિતી આપી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડયાએ માહિતી આપતા જણાવ્યું છે તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની જે ટીમોને રેસ્ક્યુની કામગીરી કરવા માટે મોકલવામાં આવી છે તે રવિવારે રાતથી જ કામે લાગી ગઈ છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીના પાણીમાંથી મળી આવેલ નથી જેથી કરીને આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની ટીમના અધિકારીની સાથે મિટિંગ કરીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે તેને ચાલુ રાખવામા આવશે કે નહીં તે નક્કી કરવામાં આવશે






Latest News