મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


SHARE









મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે તેની અમલવારી મોરબી શહેર અને જીલ્લામાં શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી જીલ્લામાં જુદાજુદા પક્ષના ઝંડી પતાકા હટાવવા માટેની તેમજ ભીત સૂત્રોને ભૂસવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. 

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો તેને હજુ પાંચ દિવસ થયા છે ત્યાં રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે જેથી કરીને મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી શહેર તેમજ જિલ્લામાંથી જુદાજુદા પક્ષના ઝંડી અને પતાકા કાઢવામાં આવી રહ્યા છે અધિકારી પાસેથી મલ્ટી માહિતી મુજબ જિલ્લાભરમાં રાજકીય પક્ષોના બેનરોસૂત્રોહોર્ડિંગ્સ અને ઝંડીઓ ઉતારવાની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી પાલિકાની જુદીજુદી ટીમો દ્વારા પરાબજારશનાળા રોડરવાપર રોડ તેમજ સામાકાંઠા વિસ્તારોમાં દરેક પક્ષના ઝંડીબેનરહોર્ડિંગ  અને ભીત સૂત્રોને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.






Latest News