મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ
મોરબીના જસમતગઢ ગામની સીમ કારખાનાના કવાર્ટરમાં યુવાને ભર્યું અંતિમ પગલું
SHARE
મોરબીના જસમતગઢ ગામની સીમ કારખાનાના કવાર્ટરમાં યુવાને ભર્યું અંતિમ પગલું
મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમ આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા મજૂરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ વેન્ટોસા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો લીંબાભાઈ ગોરધનભાઈ ગીણાવા (૪૦) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ગઈકાલે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વૃદ્ધનું મોત
મોરબીમાં રહેતા દલપતભાઈ કનુભાઈ રાવલ (૬૫) ને બીમારી સબબ ગત તા ૨૭/૧૦ ના રોજ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં હતા ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તેનું બીમારી સબબ મોત નીપજયું હતુ જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલને મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.