હળવદના કવાડિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત
તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ
SHARE
તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ
રાજકોટના જાળીયા ગામની પરણીતાએ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ મળીને સાત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, “તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી” તેવું કહીને અવારનવાર મેળા ટોણા મારી બોલાચાલી કરીને ગાળો આપી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો આવતો હતો તેમજ મહિલાએ કરેલ કેસને પાછો ખેંચી લેવા માટે થઈને પતિ અને સસરા દ્વારા ધમકી દેવામાં આવી હતી જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાતની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણમાં મળતી માહિતી મુજબ રાજકોટના જાળીયા ગામની પરણીતા હાલમાં વાંકાનેરની પેડક સોસાયટીમાં તેના માવતરના ઘરે હોય આરતીબેન જીગ્નેશભાઈ ચાવડા (૨૬)એ તેના પતિ જીગ્નેશભાઈ ચાવડા, સસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી દક્ષાબેન જયદેવભાઈ ચાવડા, નણંદ મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને મમતાબેન મનસુખભાઈ ચાવડા રહે. બધા જાળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નાની-નાની બાબતોમાં અને ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરી માથાકૂટ કરતા હતા તેમજ તું કરિયાવરમાં કંઈ સારું લાવેલ નથી તેવું કહીને અવારનવાર બોલાચાલી કરી ગાળો આપીને મારપીટ કરતા હતા અને તેણે કરેલ કેસ પાછો ખેંચી લેવા માટે તેના પતિ તથા સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.