મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત


SHARE















હળવદના કવાડિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસેથી ચાલીને પસાર થતા આધેડને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર થવાથી આધેડનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતકના મિત્રએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં કવાડિયા ગામની સીમમાં નાગરભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વ્હેલીયાભાઈ દૂરસિંગભાઈ નાયકા જાતે આદિવાસી (૪૫) એ આઈ-૨૦ કાર નંબર જીજે ૩ ડીજી ૭૮૩૪ ના ચાલક આનંદભાઈ સુરેશભાઈ પટેલ રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મિત્ર કનસિંગભાઈ ગુરુજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૫૨) કવાડિયા ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી કાર ચાલકે પોતાની કાર વડે તેને ઠોકર મારી હતી જેથી કરીને કનસિંગભાઈ રાઠવાને ઇજા થયેલ હતી અને તેનું માથા અને કપાળના ભાગે ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે હાલમાં મૃતક આધેડના મિત્રએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News