મોરબીના જસમતગઢ ગામની સીમ કારખાનાના કવાર્ટરમાં યુવાને ભર્યું અંતિમ પગલું
હળવદના કવાડિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત
SHARE
હળવદના કવાડિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત
હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસેથી ચાલીને પસાર થતા આધેડને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર થવાથી આધેડનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતકના મિત્રએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં કવાડિયા ગામની સીમમાં નાગરભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વ્હેલીયાભાઈ દૂરસિંગભાઈ નાયકા જાતે આદિવાસી (૪૫) એ આઈ-૨૦ કાર નંબર જીજે ૩ ડીજી ૭૮૩૪ ના ચાલક આનંદભાઈ સુરેશભાઈ પટેલ રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મિત્ર કનસિંગભાઈ ગુરુજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૫૨) કવાડિયા ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી કાર ચાલકે પોતાની કાર વડે તેને ઠોકર મારી હતી જેથી કરીને કનસિંગભાઈ રાઠવાને ઇજા થયેલ હતી અને તેનું માથા અને કપાળના ભાગે ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે હાલમાં મૃતક આધેડના મિત્રએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.