ઝૂલતા પુલની દુર્ઘટનાનો રેલો : મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ, ધરપકડ થાય તેવા સંકેત
મોરબી જુલતાપૂલ : મચ્છુ નદીમાં શોધખોળનું કામ કેમ હતું મુશ્કેલ ?
SHARE
મોરબી જુલતાપૂલ : મચ્છુ નદીમાં શોધખોળનું કામ કેમ હતું મુશ્કેલ ?
ઝુલતા પુલ મચ્છુ નદી ઉપર હતો અને તે તૂટી પડતાં ઘણા લોકો નદીમાં પડી ગયા હતા અને તેમાંથી સરકારી આંકડા મુજબ હાલ સુધીમાં ૧૩૫ ના મોત નોંધાયા છે અને છેલ્લા ચાર દિવસથી રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદીજુદી એજન્સીઓ દ્વારા મચ્છુ નદીમાં બોડી શોધવા માટેનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું જો કે, મંગળવાર, બુધવાર અને ગુરુવારે નદીમાંથી કોઈ વ્યક્તિની બોડી મળેલ ન હતી જેથી કરીને આ ઓપરેશનને પૂર્ણ કરવામાં આવેલ છે જો કે, કામગીરી કરનારા જવાનો પાસેથી મલ્ટી માહિતી મુજબ ફૂલની નીચેના ભાગમાં નદીનું પાણી નહીં પરંતુ ગટરનું દૂષિત પાણી છે જેથી કરીને આ ગંદા પાણીમાં બોડીને શોધવા માટે જવનું કામ ખૂબ જ કપરું હતુ વધુમાં જવાનના કહેવા પ્રમાણે નદીનું પાણી હોય તો તેમાં નીચે ગયા પછી પણ વિઝિબિલિટી હોય છે જેથી કરીને તેમાં કોઇની બોડી હોય તો તે ધ્યાનમાં આવી જતી હોય છે પરંતુ ઝુલતો પુલ તૂટ્યો છે તે સ્થળની નીચેના ભાગમાં ગટરનું દૂષિત પાણી જ ભરેલું છે જેથી કરીને પાણીની નીચેના ભાગમાં વિઝિબિલિટી ન હતી માટે રેસ્ક્યુનું કામ કપરું હતું અને અધુરામાં પૂરું આ ગંદકીમાં ગાંડીવેલ હોવાથી આ કામ ક્યારેય ભૂલી ન શકાય તેવું હતું