માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો


SHARE













મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિકાસ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવા આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હતી જેથી કરીને મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછારને મોરબી નગરપાલિકાનો ચાર્જ સોપવામાં આવ્યો છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે

મોરબી નગરપાલિકાની માલિકી વાળો ઝુલતો પુલ ઓરેવા ગ્રુપને મેનેજમેન્ટ માટે થઈને કરાર કરીને પાલિકા દ્વારા આપી દેવામાં આવ્યો હતો જોકે પાલિકામાં છેલ્લે જે કરાર કરવામાં આવ્યો છે તે કરાર પછી જનરલ બોર્ડમાં તેની મંજૂરી લેવામાં આવી નથી જેથી કરીને ક્યાંકને ક્યાંક અનેક પ્રશ્નો પાલિકા સામે પણ ઊભા થઈ રહ્યા છે તેવા સમયે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેને હેડ કવાર્ટરમાં મૂકી દેવામાં આવેલ છે અને બીજો કોઈ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી તેને હેડ કવાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે તેવી જાણવા મળ્યું છે

ગત રવિવારે સાંજના સાડા છ વાગ્યાની અરસામાં મોરબીના ઝુલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક ધડાકા ભેર જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને પુલ ઉપર ફરવા માટે આવેલા લોકોમાંથી ઘણા લોકો મચ્છુ નદીના પટમાં અને મચ્છુ નદીની પાણીની અંદર પડ્યા હતા અને તેમાંથી કુલ મળીને ૧૩૫ લોકોના અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ બીજા કોઈ ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ નથી જો કે, મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને આપવામાં આવેલ છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News