મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો
મોરબી સિવિલમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકત કરવા માટે આવ્યા હતા તે પહેલા આગલી રાતે મોરબી સિવિલમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને આ કામની આકરી ટીકાઓ કરવામાં આવી હતી તેવામાં મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેનડન્ટ ડો પી.કે. દુધરેજીયા પાસેથી સિવિલનો ચાર્જ લઈ લેવામાં આવેલ છે અને આ ચાર્જ હાલમાં મોરબી મેડિકલ કોલેજના ડીન ડો. નીરજ બિશ્વાસને સોપાવામાં આવેલ છે અને સિવિલમાં વડાપ્રધાનના આગમન પહેલા હોસ્પિટલના રીનોવેશન માટેની રાતોરાત જે કામગીરી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલૂ ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે