મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

ઝૂલતા પુલની ઘટનાના દ્વારા ૧૩૫ મૃતકના પરિવારજનો-ઇજાગ્રસ્તોના નિવેદન લેવાનું શરૂ: પોલીસ


SHARE







ઝૂલતા પુલની ઘટનાના દ્વારા ૧૩૫ મૃતકના પરિવારજનો-ઇજાગ્રસ્તોના નિવેદન લેવાનું શરૂ: પોલીસ

મોરબીમા જુલતો પુલ તૂટી પડવાની ઘટનાની પોલીસ વિભાગ તેમજ જુદીજુદી તપાસ એજન્સીઓ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે અને બનાવ સમયે જે ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે તેના પરિવારજનોના નિવેદન લેવાનું પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓના નિવેદન પણ પોલીસ દ્વારા લેવાશે આમ કુલ મળીને 300 થી વધુ લોકોના ઝૂલતા પુલની ઘટના સંદર્ભે નિવેદન લેવામાં આવશે અને આરોપીઓ વિરુદ્ધ મજબૂત ગાળીયો બનાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે

મોરબીમાં ગત રવિવારે ઝુલતો પુલ તૂટી પડવાના લીધે ૧૩૫ લોકોના મોત થયા છે ત્યારે આ બનાવની હાલમાં જુદીજુદી તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જુદી જુદી રીતે આ બ્રિજ તૂટવાના મુખ્ય કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે સાથોસાથ આરોપીઓને મજબૂત રીતે ફિટ કરવા મથામણ ચાલી રહી છે ત્યારે તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સીના લોકોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓને પણ પકડવામાં આવેલ છે જો કે, ઘટના કેવી રીતે બની ?, કોને શું ગુમાવ્યું ? તે સહિતની માહિતી સરકારી ચોપડે લેવા માટે પોલીસે આ બનાવમાં જે ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે તેના પરિવારજનોના નિવેદન તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓના નિવેદન પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને અંદાજે 300 થી વધુ લોકોના ઝૂલતા પુલની ઘટના સંદર્ભે પોલીસ દ્વારા નિવેદન લેવાશે તે નિશ્ચિત છે




Latest News