મોરબી પાલિકામાં એસઆરપીનો બંદોબસ્ત મુકાયો
SHARE
મોરબી પાલિકામાં એસઆરપીનો બંદોબસ્ત મુકાયો
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના સર્જાઈ હતી જેથી કરીને સરકાર આ ગંભીર બનાવમાં તપાસમાં કોઈ કચાસ રાખવા માંગતી નથી અને દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તે પ્રકારનો તખ્તો ગોઠવાઈ રહયો છે ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પાલિકા કચેરીમાં ઘટનાને લઈને લોકો દ્વારા હલ્લા બોલ કરવામાં આવે તેવી શકયતા છે જેથી કરીને મોરબી પાલિકા ખાતે એસઆરપીનો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને મોરબીની આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મોત થયા છે જેથી કરીને લોકોમાં આક્રોશ હોય અગમચેતીના ભાગરૂપે એસઆરપીનો બંદોબસ્ત રાખવામા આવેલ છે