મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ


SHARE









મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ

મોરબી ઝૂલતા પૂલની બનેલી ગંભીર ઘટના નેતિક જવાબદારી સ્વીકારી પાલિકા પ્રમુખ તેમજ કરારમાં સહી કરનાર પદાધિકારીએ રાજીનામા આપી દેવા જોઈએ તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ અને પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ  ના રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કેમોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટના  બનેલ તેમાં આશરે ૧૩૫ થી વઘારે લોકોના મુત્યુ થયેલ છે  જેમાં ફૂલ જેવા કોમલ બાળકો, યુવાનો, મહિલાઓ સહિતનાનો ભોગ લેવાયો છે ત્યારે આ દુર્ઘટનાની  નેતીક જવાબદારી ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને સ્વીકારી રાજીનામા આપી દેવા જોઈએ વધુમાં કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે કે, ભાજપ પક્ષના જવાબદાર હોદેદારોમાં જરા પણ શરમ કે નૈતિકતા બચી હોય તો આ  પાલિકાના વહીવટને ચાલવામાં નિષ્ફળ ગયેલ પદાધિકારીઓના રાજીનામા લઇ લેવા જોઈએ અને આ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ભાજપના હોદેદારોએ કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે 






Latest News