મોરબીમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને મોરારિબાપુ તરફથી સહાય અર્પણ
મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ
SHARE
મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ
મોરબી ઝૂલતા પૂલની બનેલી ગંભીર ઘટના નેતિક જવાબદારી સ્વીકારી પાલિકા પ્રમુખ તેમજ કરારમાં સહી કરનાર પદાધિકારીએ રાજીનામા આપી દેવા જોઈએ તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ અને પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કે, મોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટના બનેલ તેમાં આશરે ૧૩૫ થી વઘારે લોકોના મુત્યુ થયેલ છે જેમાં ફૂલ જેવા કોમલ બાળકો, યુવાનો, મહિલાઓ સહિતનાનો ભોગ લેવાયો છે ત્યારે આ દુર્ઘટનાની નેતીક જવાબદારી ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને સ્વીકારી રાજીનામા આપી દેવા જોઈએ વધુમાં કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે કે, ભાજપ પક્ષના જવાબદાર હોદેદારોમાં જરા પણ શરમ કે નૈતિકતા બચી હોય તો આ પાલિકાના વહીવટને ચાલવામાં નિષ્ફળ ગયેલ પદાધિકારીઓના રાજીનામા લઇ લેવા જોઈએ અને આ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ભાજપના હોદેદારોએ કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે