મોરબી: ચરિત્રની શંકા કરીને પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ
SHARE
મોરબી: ચરિત્રની શંકા કરીને પરિણીતાને શારીરિક ત્રાસ માનસિક આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ
વાંકાનેરના પ્રતાપ ચોક પાસે માવતરના ઘરે રહેતી પરણીતાએ હાલમાં તેના પતિ, સસરા, જેઠ અને જેઠાણી સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ચરિત્રની શંકા કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ માર મારતા હતા તેવી ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં વાંકાનેરના પ્રતાપ ચોક પાસે માવતરના ઘરે રહેતી જલ્પાબેન અશોકભાઈ સોલંકી નામની પરણિતાએ તેના પતિ રામભાઈ બાબુભાઈ ભટ્ટી, સસરા બાબુભાઈ ભગવાનજીભાઈ ભટ્ટી, જેઠ અતુલભાઇ બાબુભાઈ ભટ્ટી અને જેઠાણી વર્ષાબેન અતુલભાઇ ભટ્ટી રહે બધા કોઠારીયા મેન રોડ જુના ગણેશનગર શેરી નં-૬ સતનામ પાર્ક રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે રસોઈ કામ કરવા બાબતે તેમજ ઘરકામ બાબતે નાની-નાની બાબતે મેના ટોણા મારીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો તેમજ ચરિત્રની શંકા કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.