વાંકાનેરના પીપળીયા અગાભી ગામે દબાણ કરનાર ત્રણ સામે મામલતદારે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા ચાર આરોપીઓના આજે રિમાન્ડ પૂરા: ફરી કોર્ટમાં રજૂ કરશે
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા ચાર આરોપીઓના આજે રિમાન્ડ પૂરા: ફરી કોર્ટમાં રજૂ કરશે
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં ચાર આરોપી રિમાન્ડ ઉપર હતા જો કે, તે આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થાય છે જેથી કરીને તપાસનીશ અધિકારી દ્વારા ચારેય આરોપીને પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી નોંધાવવામાં આવી હતી અને પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પછી બે કલમનો ઉમેરો પણ તેમાં કરવામાં આવેલ છે જો કે, અગાઉ આ ગુમા પોલીસે દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪), દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) અને મુકેશભાઈ ચૌહાણ (૨૭)ની ધરપકડ કરી હતી અને આ પૈકીનાં પાંચ આરોપીઓને ત્યારે જ કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે, ચાર આરોપીઓ દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ લાલજીભાઈ પરમારના ચાર દિવસ એટ્લે કે તા ૫ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા જે રિમાન્ડ આજે પૂરા થતાં હોય ચારેય આરોપીઓને આજે ફરી પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને પાલિકા સાથે ઝૂલતા પુલ માટે કરાર કરનાર ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને પકડવા માટે પણ પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે