ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા  ચાર આરોપીઓના આજે રિમાન્ડ પૂરા: ફરી કોર્ટમાં રજૂ કરશે


SHARE













મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા  ચાર આરોપીઓના આજે રિમાન્ડ પૂરા: ફરી કોર્ટમાં રજૂ કરશે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ  અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં ચાર આરોપી રિમાન્ડ ઉપર હતા જો કે, તે આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થાય છે જેથી કરીને તપાસનીશ અધિકારી દ્વારા ચારેય આરોપીને પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી નોંધાવવામાં આવી હતી અને પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પછી બે કલમનો ઉમેરો પણ તેમાં કરવામાં આવેલ છે જો કે, અગાઉ આ ગુમા પોલીસે દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪), દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) અને મુકેશભાઈ ચૌહાણ (૨૭)ની ધરપકડ કરી હતી અને આ પૈકીનાં પાંચ આરોપીઓને ત્યારે જ કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે, ચાર આરોપીઓ દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવેદેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ લાલજીભાઈ પરમારના ચાર દિવસ એટ્લે કે તા ૫ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા જે રિમાન્ડ આજે પૂરા થતાં હોય ચારેય આરોપીઓને આજે ફરી પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને પાલિકા સાથે ઝૂલતા પુલ માટે કરાર કરનાર ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને પકડવા માટે પણ પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે






Latest News