વાંકાનેરના મેસરીયા ગામેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક પકડાયો
મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન
SHARE
મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન
મોરબી શહેરના જુદા વિસ્તાર સહિતના જુદાજુદા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી હતી જેથી કરીને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને શહેરના ૨૦ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે
મોરબીના વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક તેમજ જૂના મોરબી શહેરના લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે અને આ અશાંતધારો લાગુ કરવામાં આવતા હવે તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે અને મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો પણ આપવી પડશે અને કલેક્ટરની મંજૂરી પછી જ મિલકતનું ખરીદ વેચાણ થઈ શકશે અને અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરી શકે છે અને મોરબીમાં વર્ષ ૨૦૨૭ સુધી ૨૦ વિસ્તારોમાં કલેકટરની પૂર્વ મંજૂરી વગર મિલ્કત શકાશે નહીં