વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?


SHARE













મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?

મોરબીની સિવિલ હોસ્પિટલનો ગેઇટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે નિર્દોષ માટે જોખમી બની શકે તેમ છે તો પણ તેનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જેથી કરીને સિવિલ હોસ્પિટલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને કરલે છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરિયા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતનાએ કલેકટર અને સિવિલ હોસ્પિટલ તંત્રને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઇટનો ઘણા ભાગ જર્જરિત છે જે સિવિલમાં આવતા લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને અકસ્માત થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે માટે સિવિલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જો કામ ન કરવામાં આવે અને અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે

 






Latest News