રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે
મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?
મોરબીની સિવિલ હોસ્પિટલનો ગેઇટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે નિર્દોષ માટે જોખમી બની શકે તેમ છે તો પણ તેનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જેથી કરીને સિવિલ હોસ્પિટલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને કરલે છે
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરિયા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતનાએ કલેકટર અને સિવિલ હોસ્પિટલ તંત્રને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઇટનો ઘણા ભાગ જર્જરિત છે જે સિવિલમાં આવતા લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને અકસ્માત થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે માટે સિવિલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જો કામ ન કરવામાં આવે અને અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે