રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે
SHARE
રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે દરેક પાર્ટી તેના ઉમેદવાર જાહેર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર તેના ઉમેદવારને જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે રવિવારે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકો ઉપર આમ આદમી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રચાર કરવામાં આવી રહયો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુદાજુદા વિસ્તારમાં સભા કરવા માટે અને રોડ શો માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં રવિવારે સવારે ૧૦ વાગ્યે કેજરીવાલનો રોડ શો યોજાશે અને વાંકાનેર હાઇવે જકાત નાકાથી પુલ દરવાજા સુધી રોડ શો યોજાશે.