ઝૂલતા પુલના અસરગ્રસ્તોને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલ કરશે કાનૂની મદદ
મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત
SHARE
મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત
મોરબીના માધાપરમાં દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે માન્ય રાખીને કોર્ટે આરોપીઓનો જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે
મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યાર બાદ ફાયરીંગ થયું હતું જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ આરોપીના વકીલ મારફત મોરબી કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને ધ્યાને લઈને મોરબીના મહે.પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને જમીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને આરોપીના વકીલે કહ્યું હતું કે, આરોપીએ કોઈને મારી નાખવાની કોશિશ કરી નથી. એફઆઈઆર જોતા આરોપીનો કોઈ રોલ આવતો ન હોય અને આરોપીઓ મોરબીના સ્થાનિક રહેવાસી છે જેથી ભાગી જાય તેમ નથી વિગેરે દલીલ કરી હતી અને કેસમાં સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા રોકડાયેલા હતા અને હાલમાં ત્રણેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી પક્ષે સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી અને સહેનાઝબેન સુમરા રોકાયેલ હતા









