ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત


SHARE













મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત

મોરબીના માધાપરમાં દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે માન્ય રાખીને કોર્ટે આરોપીઓનો જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે

મોબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યાર બાદ ફાયરીંગ થયું હતું જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ આરોપીના વકીલ મારફત મોરબી કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને ધ્યાને લઈને મોરબીના મહે.પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને જમીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને આરોપીના વકીલે કહ્યું હતું કે, આરોપીએ કોઈને મારી નાખવાની કોશિશ કરી નથી. એફઆઈઆર જોતા આરોપીનો કોઈ રોલ આવતો ન હોય અને આરોપીઓ મોરબીના સ્થાનિક રહેવાસી છે જેથી ભાગી જાય તેમ નથી વિગેરે દલીલ કરી હતી અને કેસમાં સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા રોકડાયેલા હતા અને હાલમાં ત્રણેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી પક્ષે સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી અને સહેનાઝબેન સુમરા રોકાયેલ હતા






Latest News