મોરબી સિંધી સમાજ ગુરુનાનક જયંતિની ઉજવણી સાદગીથી કરશે: રામાનંદી સમાજ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે
મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી: સરકારને નોટીસ ફટકારી
SHARE
મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી: સરકારને નોટીસ ફટકારી
મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. અને બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. હાઈકોર્ટે સરકારને ૧૦ દિવસની અંદર તેણે આ મામલે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. અને ૧૪ મી નવેમ્બરે મુદત પડેલ છે
હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરવાની સાથે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાની માહિતી સામે આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી. તા ૩૦ ને રવિવારની સાંજે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતા. આ દુર્ઘટનામાં ત્રણ દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પીડિતોને મળ્યાં હતાં.