મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા
મોરબી સિંધી સમાજ ગુરુનાનક જયંતિની ઉજવણી સાદગીથી કરશે: રામાનંદી સમાજ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે
SHARE
મોરબી સિંધી સમાજ ગુરુનાનક જયંતિની ઉજવણી સાદગીથી કરશે: રામાનંદી સમાજ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે
મોરબી ઝૂલતા પુલની ગોજારી ઘટનામાં ૧૩૫ લોકોના મોતને પગલે મોરબી સિંધી સમાજ દ્વારા આવતીકાલ તા.૮-૧૧ ને મંગળવારના રોજ ગુરૂનાનક જયંતિની ઉજવણીના આયોજનનો રદ કરીને સાદગીપુર્વક ઉજવી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મહાપ્રસાદ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યુ છે.
સમસ્ત સિંધી સમાજને જાણ કરવામાં આવેલ છે કે તા.૮ ના દિવસે શ્રી ગુરુનાનક જયંતિ આવી રહી છે પણ ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો છે.સાથો સાથ તા.૬ ના દિવસે સવારે ધ્વજા રોહણ કરાયેલ અને તા.૮ ના દિવસે પ્રસાદ પણ રદ કર્યો છે જેની સમાજના સર્વે લોકોએ નોંધ લેવી. તા.૮ એ ફકત રાત્રે મંદિરે કીર્તનનું આયોજન કરેલ છે.
રામાનંદી સાધુ સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા સુંદરકાંડના પાઠ યોજાશે
મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી આદ્યાચાર્ય જગતગુરુ શ્રી ભગવન્નિમ્બાકાચાયૅજીનો ૫૧૧૮ મા જન્મોત્સવ વિ સં ૨૦૭૯ કાર્તિક સુદ પૂર્ણિમા તા.૮ ને મંગળવારના રોજ આયોજન કરાયું હતું પરંતુ ઝુલતા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને સ્નેહમિલન તેમજ ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે.મોરબી-માળિયા રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા.૮-૧૧ ના રોજ સવારે ૯ કલાકે ગુરુપૂજન, સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને સમયોચિત હરિનામ સંકીર્તન કરાશે અને બપોરે ૨:૩૦ કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે તેમ રામાનંદી સાધુ સમાજે યાદીમાં જણાવેલ છે.