મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ


SHARE









મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ

ગત ચોમાસામાં અતિ વરસાદને લીધે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતા મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યુ હતુ તે રીતે જ મોરબીના માળિયા તાલુકાના અને ગામડાઓમાં નુકસાની થયેલી હોય અને તેના સર્વે દ્વારા તેઓને રાહત પેકેજ આપવાની વાત થયેલ છે. પરંતુ તે પૈકીના માળીયા તાલુકાના નવાગામના ખેડૂતોને થયેલ અન્યાય માટે ખેડુતોએ તેઓએ થયેલ આ અન્યાય દૂર કરવા માટે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું

ગુજરાતમાં ભાર વરસાદને લીધે મોરબીના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતુ. મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે અનેક ગામના ખેડુતોને સરકાર દ્રારા રાહત પેકેજ આપવામાં આવે પરંતુ માળીયાના નવાગામને રાહત પેકેજમાં લાભ આપવામાં આવ્યો ન હોય નવાગામના ખેડુત આગેવાનોએ આ અંગે મોરબી ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજનો લાભ આપો નહિતર અમારે ના છુટકે ન્યાયતંત્રનો સહારો લેવો પડશે. નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે આ વર્ષે ખરીફ સીઝનમાં સતત વરસાદ થવાથી નવાગામના ખેડૂતોને પાક નુકસાની ગયેલ છે. જે બાબતે તેઓએ ગત તા.૧૬-૯-૨૨ ના રોજ પણ રજૂઆત કરી હતી અને નવાગામને પાક નુકસાની સહાય ચુકવવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજમાં નવાગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી..! જોકે નવાગામની આસપાસના ચારેય બાજુના ગામો જેમ કે રાસંગપર, મેધપર, મોટી બરાર, સરવડ વિગેરે ગામોનો સમાવેશ રાહત પેકેજમાં કરવામાં આવેલ છે..! છતાં નવાગામનો સમાવેશ આ રાહત પેકેજમાં કરવામાં આવેલ નથી. જેથી ખેતીવાડી અધિકારીને મળીને નવાગામનો સત્વરે આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે નવિનભાઇ  ઘુમલીયા, લાલજીભાઈ કોઠીયા, ધનજીભાઈ દેત્રોજા, હસુભાઈ ઘુમલિયા, નરભેરામભાઈ ધોરીયાણી, મહેશભાઈ ભરવાડ સહીતનાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.






Latest News