મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસીની માંગ
મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે
SHARE
મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે
મોરબીના મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર આવેલ હરિ ઓમ પાર્ક સોસાયટીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે આગામી તા. ૧૨ નવેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ થી લઈને ૧૮ નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માને શાંતિ તેમજ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર કિશોર મહારાજ કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથા રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે જેથી આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે