મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ડીમોલેશન કામગીરી પાંચ દિવસ મુલ્તવી !


SHARE









મોરબીના રવાપર ગામે ડીમોલેશન કામગીરી પાંચ દિવસ મુલ્તવી !

મોરબીના રવાપર ગામે પંચાયત દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા ત્યાં આવ્યા હતા અને તેની દરમ્યાનગિરિથી માલધારીઓના વાડાનું દબાણ પાંચ દિવસ માટે મુલ્તવી રાખવામા આવ્યું છે

મોરબીના રવાપર ગામે બહારથી આવેલ માલધારી સમાજના લોકો વાડા બનાવીને ત્યાં રહે છે અને સરકારી જમીન ઉપર વાડા બનાવવામાં આવે હતા જેથી કરીને પંચાયતે તે દબાણ કરનારાઓને નોટિસ આપી હતી અને તેમ છતાં પણ દબાણને દૂર કરવામાં આવ્યું ન હતું જેથી કરીને તંત્ર દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું જો કે, રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા અને નિલેશ ડાંગર ત્યાં આવ્યા હતા અને ડીમોલેશન કામગીરી રોકવા માટે તંત્રને અને સ્થાનિક આગેવાને રજૂઆત કરી હતી જેથી કરીને આ લોકોની વાતને ધ્યાને લઈને પાંચ દિવસ સુધી ડીમોલેશન અટકાવામાં આવ્યું હતું અને ત્યાં સુધીમાં આ માલધારીઓ દ્વારા સ્વેચ્છાએ તે લોકો જમીન ખાલી કરી આપશે તેવી બાંહેધરી આપી છે






Latest News