ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નાગપંચમીની મહિલાઓ દ્વારા કરાઈ આસ્થા પૂર્ણ ઉજવણી


SHARE













વાંકાનેરમાં નાગપંચમીની મહિલાઓ દ્વારા કરાઈ આસ્થા પૂર્ણ ઉજવણી

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજરોજ નાગ પંચમી નિમિત્તે પૂજન અર્ચન કરી મહિલાઓ દ્વારા આસ્થા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શહેરનાં કુંભારપરા વિસ્તારમાં આવેલ વર્ષો પહેલાનાં જુના પાધર હનુમાન મંદિર જગ્યા ખાતે આવેલ નાગ દેવતાની પ્રતિમાનું મહિલાઓએ આસ્થા પૂર્વક પૂજન કર્યું હતું, અહીં નાગ દેવતાની પ્રતિમાનું વર્ષો જુનું સ્થાપન આવેલ હોય વર્ષોથી નાગ પંચમીનાં દિવસે મહિલાઓ અહીં આસ્થા પૂર્વક પૂજન વિધિ કરે છે, આજરોજ નાગપંચમી નિમિત્તે તલવટ, શ્રીફળ, કુલેર, કઠોળ, ધૂપ, દીપ, દ્વારા નાગદેવતાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું, અને ઘેર ઘેર પણ પારીયાણા પાસે કંકુ વડે નાગ દેવતાની પ્રતિમા કંડારી પરંપરાગત પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી, વાંકાનેરમાં ઠેર ઠેર આસ્થા પૂર્વક નાગપંચમી નિમિત્તે પૂજન વિધિ કરી ઉજવણી કરવામાં આવી હતી.






Latest News