ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ભાજપના ત્રણે ઉમેદવાર જાહેર: મોરબી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા દુર્લભજી દેથરીયા, વાંકાનેર જીતુભાઈ સોમાણી


SHARE











ભાજપના ત્રણે ઉમેદવાર જાહેર: મોરબી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા દુર્લભજી દેથરીયા, વાંકાનેર જીતુભાઈ સોમાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈને ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરવા માટે થઈને છેલ્લા ઘણા દિવસોથી કવાયત કરવામાં આવી રહી હતી અને જેના ભાગરૂપે આજે મોટાભાગના ઉમેદવારોને પ્રદેશ ભાજપ તરફથી ફોનથી સૂચના આપવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે થઈને પણ ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરી બેઠક માટે દુર્લભજીભાઈ દેથરીયા અને વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીને પ્રદેશ ભાજપમાંથી ફોન આવી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે

ગુજરાતમાં સૌથી વધુ મોરબી માળિયા વિધાનસભા બેઠકને લઈને ચર્ચાઓ થઈ હતી કે કોને ટિકિટ મળશે તેવામાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કુલ મળીને 15 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જેમાં વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ પણ મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટની માંગણી કરી હતી તેવી જ રીતે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ આ બેઠક ઉપરથી ટિકિટની માંગણી કરી હતી દરમિયાન કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે થઈને કાંતિભાઈ અમૃતિયાના નામ ઉપર મહોર લગાવવામાં આવી છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ મળીને 35 જેટલા આગેવાનોએ ભાજપ પાસે ટિકિટની માંગણી કરી હતી જેમાંથી જીતુભાઈ સોમાણીના નામ ઉપર મહોર મારવામાં આવી છે અને જો વાત કરીએ ટંકારા પડધરી બેઠકની તો ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી કુલ મળીને 20 આગેવાનો દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાના નામ ઉપર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મહોર મારવામાં આવી છે જેથી કરીને આ ત્રણેય ઉમેદવારો ભાજપમાંથી ફાઇનલ થઇ ગયેલ છે






Latest News