ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતી યુવતી ગુમ


SHARE











મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતી યુવતી ગુમ

મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા વિપ્ર પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ જતા તેના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.જાણવા મળતી વિગચો મુજબ મોરબી-કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરભાઇ અત્રી જાતે બ્રાહ્મણ (ઉમર ૫૫) નામના આધેડે પોલીસમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી રાધિકાબેન (ઉંમર ૨૨) ગત તા.૧૫-૧૦ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પોલીસે રાધિકાબેન ગુમ થયાં અંગેની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતો રોહિત ભાઈલાલભાઈ રાઠવા નામનો ૩૦ વર્ષનો યુવાન વાડીએ કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે નાનીવાવડી ગામે રહેતા સંગીતાબેન કલ્પેશગીરી ગોસ્વામી નામની ૩૯ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલના ટીકડા ખાઈ જતા તેણીને સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી.તેમજ જોડીયા નજીકના માવના ગામે રહેતી ડિમ્પલબેન અજયભાઈ બસીયા નામની ૨૪ વર્ષીય પરિણીતા ફીનાઇલ પી જતાં તેણીને પણ અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સનાળા રોડ રામજી મંદિર પાસે આવેલ ગંદ્રાની વાળી વિસ્તારમાં રહેતો રોહિત દયારામભાઈ ડાભી નામનો ૨૨ વર્ષનો યુવાન પંચાસર ચોકડી નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ભરતનગર ગામે રહેતા મોહનભાઈ નરસીભાઈ પરમાર નામનો ૪૪ વર્ષીય યુવાન ટ્રેક્ટર લઈને વાડીએ જતો હતો ત્યારે સાદુરકા અને ભરતનગર વચ્ચેના રસ્તે તેમનો પગ ટ્રેક્ટરમાં આવી જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદના નિકોલ રોડ ઉપર ખોડીયારનગર પાસેની રતનપાર્ક સોસાયટીમાં રહેતા સુમિતાબેન નનુભાઈ ચાંચડ નામની ૨૬ વર્ષીય મહિલા મોરબી નજીકના આમરણ ગામે આવેલ દાવલશા પીરની દરગાહ પાસે બાઈકમાં જતા સમયે તેઓનું બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News