મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી મોરબી મહાનગરપાલિકા અધિકારી 3 વખત હુકમ કર્યો તો પણ સ્ટાફે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી ન આપી !: પરિમલ ઠક્કર અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબીમાં રક્ષાબંધને સદાવ્રતમાં કર્યું પ્રસાદનું આયોજન કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી નજીકથી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે 1 શખ્સ પકડાયો, 5.55 લાખનો મુદામાલ કબ્જે: 3 શખ્સોની શોધખોળ મોરબીના જોધપર ગામેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામેથી બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના કહેતા એસિડ પી ગયેલ પરિણીતાનું મોત.


SHARE





મોરબીના મકનસર ગામેથી બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના કહેતા એસિડ પી ગયેલ પરિણીતાનું મોત.

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ સીતારામનગર ખાતે રહેતી પરણીતાને તેના બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના પડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવ્યું હતું અને તે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજ્યું છે જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ ખાતે સીતારામનગરમાં રહેતા દિલીપભાઈ કનુભાઈ ચૌહાણના પત્ની રાધિકાબેન ઉર્ફે આરતીબેન ચૌહાણ (૨૫) એ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન રાધિકાબેનનું મોત નિપજ્યું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને તેના બહેનના ઘરે આટો દેવા માટે જવું હતું અને તેના પતિએ તેને ના પાડી હતી જેથી કરીને તેને લાગી આવતાં રાધિકાબેને એસિડ પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

મહિલાનું મોત

વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા લાભુબેન ભુપતભાઈ વિંઝવાડીયા (૫૦) ને બેભાન હાલતમાં તેના પતિ ભુપતભાઈ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News