મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ
SHARE
મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ
મોરબીના શનાળા રોડ કંડલા બાયપાસ ઉપર આવેલ ધર્મસુષ્ટિ સોસાયટીમાં મોડી રાત્રીના વીજ પોલ ઉપર લગાવવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગી હતી અને જેને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો જોકે સ્થળ ઉપરના લોકો દ્વારા ઊંચાઈ ઉપર ચડીને પાણી નાખીને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારના વિજલાઇનમાં આગ લાગવાના બનાવો આ વિસ્તારમાં બન્યા છે અને અનેક વખત આ વિસ્તારના સ્થાનિકો દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવેલી છે પરંતુ યોગ્ય કાર્યવાહી થતી ન હોય અને સમયાંતરે આ પ્રકારના જોખમી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે શંકા કુશંકાઓ પ્રવર્તી રહી છે