મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ


SHARE









મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ

મોરબીના શનાળા રોડ કંડલા બાયપાસ ઉપર આવેલ ધર્મસુષ્ટિ સોસાયટીમાં મોડી રાત્રીના વીજ પોલ ઉપર લગાવવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગી હતી અને જેને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો જોકે સ્થળ ઉપરના લોકો દ્વારા ઊંચાઈ ઉપર ચડીને પાણી નાખીને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારના વિજલાઇનમાં આગ લાગવાના બનાવો આ વિસ્તારમાં બન્યા છે અને અનેક વખત આ વિસ્તારના સ્થાનિકો દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવેલી છે પરંતુ યોગ્ય કાર્યવાહી થતી ન હોય અને સમયાંતરે આ પ્રકારના જોખમી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે શંકા કુશંકાઓ પ્રવર્તી રહી છે






Latest News