મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી મોરબી મહાનગરપાલિકા અધિકારી 3 વખત હુકમ કર્યો તો પણ સ્ટાફે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી ન આપી !: પરિમલ ઠક્કર અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબીમાં રક્ષાબંધને સદાવ્રતમાં કર્યું પ્રસાદનું આયોજન કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી નજીકથી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે 1 શખ્સ પકડાયો, 5.55 લાખનો મુદામાલ કબ્જે: 3 શખ્સોની શોધખોળ મોરબીના જોધપર ગામેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ


SHARE





મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ

મોરબીના શનાળા રોડ કંડલા બાયપાસ ઉપર આવેલ ધર્મસુષ્ટિ સોસાયટીમાં મોડી રાત્રીના વીજ પોલ ઉપર લગાવવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગી હતી અને જેને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો જોકે સ્થળ ઉપરના લોકો દ્વારા ઊંચાઈ ઉપર ચડીને પાણી નાખીને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારના વિજલાઇનમાં આગ લાગવાના બનાવો આ વિસ્તારમાં બન્યા છે અને અનેક વખત આ વિસ્તારના સ્થાનિકો દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવેલી છે પરંતુ યોગ્ય કાર્યવાહી થતી ન હોય અને સમયાંતરે આ પ્રકારના જોખમી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે શંકા કુશંકાઓ પ્રવર્તી રહી છે




Latest News