મોરબીમાં શનાળા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ
મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ
SHARE
મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ
તાજેતરમાં મોરબીમાં ઝુલતા પુલની ગુજારી દુર્ઘટના બની અને તેમા ૧૩૫ લોકોના અકાળે જીવ ગયા તે નિમિત્તે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આગામી તા.૧૫ ને મંગળવારે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના હતભાગીઓ માટે મોરબી સહીત તમામ જગ્યાઓએ ઠેરઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આગામી તારીખ ૧૫ ને મંગળવારના રોજ સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી અહીંના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા મોરબી જુલતાં પુલની દુર્ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલી માટે રામધૂન રાખેલ છે સર્વે સમાજના લોકોને તેમાં જાહેર આમંત્રણ આપવામા આવેલ છે.આજે તા.૧૧-૧૧ ને શુક્રવારે સાંજે ૮:૩૦ કલાકે વેલનાથ ધામ, માળિયા ફાટક, મોરબી-૨ ખાતે રામધુન યોજાશે.
રામામંડળ ભજવાશે
મોરબીના ભરતનગર ગામે તા.૧૩ ને રવિવારે રાત્રીના નવ વાગ્યે રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે. ગૌશાળાના લાભાર્થે યોજાનાર આ રામામંડળમાં શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ-પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય રજૂઆત સાથે ભજવવામાં આવશે. જેથી આયોજકો દ્વારા સર્વે ગૌપ્રેમીઓને રામામંડળમાં પધારવા જાહર આમંત્રણ આપવામાં આવેલ છે.