મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ


SHARE













મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ
 

તાજેતરમાં મોરબીમાં ઝુલતા પુલની ગુજારી દુર્ઘટના બની અને તેમા ૧૩૫ લોકોના અકાળે જીવ ગયા તે નિમિત્તે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આગામી તા.૧૫ ને મંગળવારે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના હતભાગીઓ માટે મોરબી સહીત તમામ જગ્યાઓએ ઠેરઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આગામી તારીખ ૧૫ ને મંગળવારના રોજ સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી અહીંના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે.


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા મોરબી જુલતાં પુલની દુર્ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલી માટે રામધૂન રાખેલ છે સર્વે સમાજના લોકોને તેમાં જાહેર આમંત્રણ આપવામા આવેલ છે.આજે તા.૧૧-૧૧ ને શુક્રવારે સાંજે ૮:૩૦ કલાકે વેલનાથ ધામ, માળિયા ફાટક, મોરબી-૨ ખાતે રામધુન યોજાશે.

રામામંડળ ભજવાશે
મોરબીના ભરતનગર ગામે તા.૧૩ ને રવિવારે રાત્રીના નવ વાગ્યે રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે. ગૌશાળાના લાભાર્થે યોજાનાર આ રામામંડળમાં શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ-પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય રજૂઆત સાથે ભજવવામાં આવશે. જેથી આયોજકો દ્વારા સર્વે ગૌપ્રેમીઓને રામામંડળમાં પધારવા જાહર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News