મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

અમદાવાદ શાહીબાગ પોલીસના ચોરીના ગુનામાં છ માસથી ફરાર આરોપીને હળવદ પોલીસે પકડી પાડયો


SHARE













અમદાવાદ શાહીબાગ પોલીસના ચોરીના ગુનામાં છ માસથી ફરાર આરોપીને હળવદ પોલીસે પકડી પાડયો

રાજકોટ રેન્જ વિભાગના પોલીસ મહા અધિક્ષક અશોકકુમાર યાદવ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ મથકના સ્ટાફ દ્વારા અમદાવાદના શાહીબાગ વિસ્તારના થયેલ ચોરીના ગુનામાં છ માસથી ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

હળવદ પીઆઇ એમ.વી.પટેલે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય હળવદ પોલીસ સર્વેલન્સ સ્ટાફના કે.એમ.સોલગામા તથા સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.તે દરમ્યાનમાં ગંભીરસિંહ ચૌહાણ અને.બીપીનભાઈ પરમારને ખાનગી રાહે મળેલી બાતમી આધારે હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાંથી અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ મથક તથા અમદાવાદના ઓઢવ પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી ભાવેશભાઈ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા જાતે.કોળી (ઉ.વ.૨૫) રહે.પંચમુખી ઢોરો, હળવદ જી.મોરબીને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના શાહીબાગ તથા ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અમીનાબેન આમદભાઈ વાઘેર નામના ૫૫ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને શાક માર્કેટ તરફ જતા હતા ત્યારે વાઘપરાના ઢાળ પાસે તેઓ બાઈકમાંથી પડી જતા ઈજાઓ થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના લજાઇ ગામે હિતુભાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સોનુંબેન દશરથભાઈ ચૌહાણ નામની ૨૧ વર્ષીય પરણીતાને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી તેણીનો લગ્ન ગાળો ચાર વર્ષનો હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.તેમજ રવાપર રોડ રાજસ્થાન પાંઉભાજી નજીક વાહન અકસ્માત અને ત્યારબાદ થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં કૃપાલસિંહ પથુભા પરમાર રહે.શ્રીજી એપાર્ટમેન્ટ પારેખ શેરી મોરબીને સારવારમાં લઈ જવાયો હતો.




Latest News