મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

ભાજપના કાંતિલાલ, કોંગ્રેસના પીરજાદા સહિત ૨૫ આગેવાનોએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે ઉમેદવારી નોંધાવી


SHARE









ભાજપના કાંતિલાલ, કોંગ્રેસના પીરજાદા સહિત ૨૫ આગેવાનોએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

મોરબી જિલ્લાના ત્રણેય વિધાનસભા બેઠક માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાની જે કામગીરી ચાલી રહી છે દરમિયાન અત્યાર સુધીમાં ૨૨૩ આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ઉપાડયા છે જે પૈકીના ભાજપના કાંતિભાઈ અમૃતિયાએ મોરબી માળિયા માટે થઈને ઉમેદવારી પત્ર ભરેલ છે તે ઉપરાંત વાંકાનેર કુવાડવા બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય પીરજાદાએ તેનું ઉમેદવારી પત્ર ભર્યું છે આમ બે મોટા માથા સહિત કુલ મળીને અત્યાર સુધીમાં ૨૫ આગેવાનો દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને હવે આગામી તા. ૧૪ ના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે ત્રણેય બેઠકમાં ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને લાઈનો લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

ગુજરાત વિધાનસભા સભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની છે અને તા. ૧ અને ૫ ના રોજ ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી બેઠકનું તા ૧ ના રોજ મતદાન થવાનું છે જેથી કરીને તા ૧૪ સુધી ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચાલુ રહેવાની છે ત્યારે જો અત્યાર સુધીની વાત કરીએ તો મોરબી જિલ્લાની આ ત્રણેય બેઠક માટે થઈને કુલ મળીને ૨૨૩ જેટલા આગેવાનો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે જેમાં મોરબીમાં ૯૫, ટંકારામાં ૪૧ અને વાંકાનેરમાં ૮૭ ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

વધુમાં મળતી વિગત પ્રમાણે અત્યાર સુધીમાં જે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે તેમા જો મોટા માથાની વાત કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ તેનું ઉમેદવારી પત્ર ભરી આપ્યું છે તે ઉપરાંત વાંકાનેર કુવાડવા બેઠક ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મહમદ જાવેદ પીરજાદાએ તેનું ઉમેદવારી પત્ર ભર્યું છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી, અન્ય પાર્ટી અને અપક્ષમાંથી પણ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોય અત્યાર સુધીમાં ત્રણેય બેઠક માટે કુલ મળીને ૨૫ જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે

જેમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો વાંકાનેરમાં બેઠક માટે ભરવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં ૧૩ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી આપ્યા છે જો કે, ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી સોમવારે તેનું ઉમેદવારી પત્ર ભરવાના છે તેવી જ રીતે કોંગેસના ટંકારાના ઉમેદવાર લલિતભાઈ કગથરા અને ભાજપના દુર્લભજીભાઈ દેથરિયા પણ તા ૧૪ ના રોજ તેના ઉમેદવારી પત્રો ભરવાના છે અને મોરબી બેઠક માટે તો હજુ કોંગ્રેસનાં ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર જ કરવામાં આવ્યા નથી જેથી કોણ ફોર્મ ભરશે તે નક્કી નથી હવે આગામી તા. ૧૪ ના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય આ ત્રણેય બેઠક ઉપર રાષ્ટ્રીય પાર્ટીના જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાના બાકી છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવશે તેની સાથોસાથ અન્ય પક્ષ અને અપક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવવા માટે તેને લાઈનો લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે






Latest News