મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્રારા ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના કરાશે સન્માન
SHARE
મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્રારા ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના કરાશે સન્માન
જાન્યુઆરી-૨૦ર૩ માં મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટે સામાન્ય સભા મળવાની છે. તેમાં દર વર્ષની માફક આ વર્ષેે પણ તા.૩૧-૧૨-૨૦૨૨ નાં રોજ ૭૦ વર્ષ પુરા કર્યા હોય તેમનું સન્માન કરવાનું થતું હોય તે અંગેનાં ફોર્મ તા.૧૬-૧૧૧ થી તા.૧૫-૧૨ સુધીમાં સમય સવારે ૧૦ થી ૧૧ દરમિયાનમાં ફોર્મ લઇ જવા જણાવાયેલ છે. ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા પેન્શનબુક (પી.પી.ઓ.) ની નકલ સાથે લઇ આવવાની રહેશે. સામાન્યસભાની રજિસ્ટ્રેશન ફી નિયમ મુજબ ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે.જે તા.૩૧-૧૨ ના રોજ ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના સન્માન કરવાનું નકકી કરાયેલ છે. તેમ મોરબી જીલ્લા પેન્શનર સમાજના પ્રમુમ જે.એસ.ડાંગરે યાદીમાં જણાવલ છે.
મોરબીમાં તારીખ ૧૦ તથા ૧૧ નવેમ્બર એમ બે દિવસ દરમિયાન સંભવ ઈનીસીએટિવ દ્વારા મોરબી જિલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટિવનાં કો-ઓર્ડીનેટર એડવોકેટ મિત રવેશિયા તથા મોરબી જિલ્લા પોલીસનાં અધિકારીઓ દ્વારા લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણ જેવા કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે જાગૃતતા ફેલાય તેવા હેતુથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી તેમજ ટંકારાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોરબીનાં વિવિધ જાહેર સ્થળો પર સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તેવા આશયથી લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણનાં કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે વિસ્તૃત સમજણ આપી હતી.આ અભિયાનમાં ટેક્ષેસન પ્રેક્ટિસનર વૃતિકભાઈ બારા પણ જોડાણા હતા.લોક અદાલત તા.૧૨ નાં રોજ યોજાવાની છે.









