મોરબીના રફાળેશ્વર ગામે ચક્કર આવતા ગટરમાં પડી જવાથી યુવાનનું મોત
તું મારી સાથે કેમ રહેતી નથી કહીને મોરબીમાં પતિએ પત્નીને માર માર્યો: આરોપીની ધરપકડ
SHARE
તું મારી સાથે કેમ રહેતી નથી કહીને મોરબીમાં પતિએ પત્નીને માર માર્યો: આરોપીની ધરપકડ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં નિર્મલ જ્યોત પેટ્રોલ પંપની બાજુમાં ભંગારના ડેલામાં કામે જતી પત્નીને તેના પતિએ “તું મારી સાથે કેમ રહેતી નથી” તેમ કહીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને છુટા નળિયાનો ઘા કપાળમાં માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં લઈને ગયા હતા અને ત્યારબાદ મહિલાએ તેના પતિ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવવી જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કમળાબેન રમેશભાઈ પારીયા (૪૫) એ હાલમાં તેના પતિ રમેશભાઈ દલપતભાઈ પારિયા રહે. ઉમિયાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નિર્મલ જ્યોત પેટ્રોલ પંપની બાજુમાં મોતીભાઈના ભંગારના ડેલે તેઓ સફાઈ કામ કરવા જાય છે અને ત્યાં તેના પતિએ આવીને તું કેમ મારી સાથે કેમ રહેતી નથી તેમ કહીને ગાળો આપી હતી ત્યારબાદ ઢીકાપાટુનો માર મારીને છૂટા નળિયાનો ઘા કરતા કપાળના ભાગે કમળાબેનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત કમળાબેનને સારવારમાં ખસેડાયા હતા અને ત્યારે સારવાર લીધા બાદ કમળાબેન પારીયાએ તેના પતિ રમેશભાઈ પારીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી