મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમાં વિકાસની રાજનીતિ કરીને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું: ભુપેન્દ્રભાઈ પટેલ


SHARE













નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમાં વિકાસની રાજનીતિ કરીને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું: ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબીના રવાપર ગામે ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ચૂંટણી સભા યોજાઈ હતી અને તેમાં તેઓએ નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ કરી છે અને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું છે તે વિકાસ અને લોકોમાં ભાજપે પ્રસ્થાપિત કરેલ વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી માટે મત માગવા માટે આવ્યા છીએ ત્યારે ગુજરાતના મતદારો ભારતીય જનતા પાર્ટી ઉપર વરસી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં મોરબીની રવાપર ચોકડી પાસે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભુપેન્દ્રભાઈ પટેલે ટંકારા પડધરીના ભાજપના ઉમેદવાર ગુલાબના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુક્યા બાદ જનસભાને સંબોધી હતી ત્યારે ત્યાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, દિલુભા જાડેજા, મુકેશભાઈ કુંડારીયા, મુકેશભાઈ ઉઘરેજા, વિનોદભાઈ ભાડેજા, રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને હાલમાં જે બેઠક કોંગ્રેસ પાસે છે તે ટંકારા પડધરી બેઠક ભાજપ કોંગ્રેસ પાસેથી જંગી લીડ સાથે આંચકી લેશે તેવો વિશ્વાસ સ્થાનિક ભાજપના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો

ત્યારબાદ રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે લોકોને સંબોધતા કહ્યું હતું કે લોકોમાં વિશ્વાસ કેળવવો અને તેને સતત વર્ષો સુધી ટકાવી રાખવો એ ખૂબ જ અગત્યની બાબત છે વર્ષો પહેલાં ગુજરાતમાં શાસન કરનાર પાર્ટીએ લોકોની તકલીફો દૂર કરી ન હતી અને ત્યારબાદ ભાજપનું શાસન આવ્યું અને ભાજપના શાસન આવ્યા બાદ બે દાયકામાં પાણી, રોડ રસ્તા, આરોગ્ય સહિતની જે સુવિધાઓમાં વધારો થયો છે તે લોકો જાણે જ છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સત્તા સંભાળ્યા બાદ જે વિકાસની રાજનીતિ શરૂ કરી તેને આજે દેશ અને દુનિયા જાણે છે

જેથી કરીને પ્રજામાં જે વિશ્વાસ ઉભો કર્યો છે અને લોકોની નજર સમક્ષ જે વિકાસ મૂક્યો છે આ વિશ્વાસ અને વિકાસને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ લોકો ભાજપ તરફથી મતદાન કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિકાસની પરિણામ લક્ષી જે કામગીરી ભાજપ કરે છે એટલા જ માટે તો ભાજપના આગેવાનો ખાતમુહૂર્ત કરે છે તેના લોકાર્પણ ભાજપના આગેવાનો જ કરે છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને અંતમાં ટંકારા પડધરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર એવા દુર્લભજીભાઈ દેથરીયાને જંગી લીડ સાથે વિજય અપાવવા માટે થઈને સભામાં હાજર રહેલા લોકોને આહવાન કર્યું હતું






Latest News