ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત


SHARE











મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે વહેલી સવારના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલેકે હડફેટે લેતા બાઈક ચાલક આધેડને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રવજીભાઈ સવજીભાઈ મકવાણા નામના ૫૫ વર્ષના આધેડ તા.૧-૧૨ ના રોજ વહેલી સવારે છ વાગ્યે પોતાનું મોટરસાયકલ લઇને ગામની પાસેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રવજીભાઇને હડફેટે લીધા હતા જેથી કરીને ઈજા પામેલા રવજીભાઈ મકવાણાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં રાજકોટ સિવિલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન રવજીભાઈનું મોત નિપજયુ હતું.






Latest News