ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદાન પૂરું થયાના બીજા જ દિવસે જુમાવાડી વિસ્તાર પાસે હવામાં ત્રણ ફાયરિંગ !: કોઈ ફરિયાદ નહીં ?


SHARE











મોરબી જીલ્લામાં મતદાન પૂરું થયાના બીજા જ દિવસે જુમાવાડી વિસ્તાર પાસે હવામાં ત્રણ ફાયરિંગ !: કોઈ ફરિયાદ નહીં ?

માળીયા મીયાણામાં નવલખી બંદર પાસે આવેલ જુમાવાડી વિસ્તાર નજીક ગઈકાલે સાંજના સમયે અજાણી કારમાં આવેલા શખ્સ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યા ઉપર હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટનાએ પહોંચી હતી અને લોકો પાસેથી હકીકત મેળવી હતી તેમ છતાં પણ આ બનાવ સંદર્ભે હજુ સુધી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી અને આ બાબતની મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખને જાણ થતા તેઓ જુમાવાડી વિસ્તારમાં રાત્રે પહોંચ્યા હતા અને આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને રજૂઆત કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું

મોરબી જિલ્લાની ત્રણ સહિત ગુજરાત વિધાનસભાની ૮૯ બેઠકો માટે થઈને હાલમાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે અને ચૂંટણીનું મતદાન પૂરા થયાના બીજા જ દિવસે મોરબી જિલ્લામાં આવતા માળિયા મીયાણા તાલુકામાં નવલખી બંદર નજીક જુમાવાડી વિસ્તાર પાસે ફાયરિંગની ઘટના સામે આવી રહી છે જે બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં અંધારું થયા બાદ અજાણી કારમાં કોઈ શખ્સો આવ્યા હતા અને તેમણે પોતાની કારના હેડલાઇટ સહિતની લાઈટો બંધ રાખી હતી અને ત્યારબાદ જુમાવાડી વિસ્તારની આસપાસમાં હવામાં કુલ મળીને ત્રણ ફાયરિંગ કર્યા હતા અને અલગ અલગ જગ્યા ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે સ્થાનિક લોકો દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ગયો હતો પરંતુ આ બાબતની હજુ સુધી માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ નથી

જોકે આ બનાવની મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન કિશોરભાઈ ચીખલીયાને જાણ થતા કિશોરભાઈ ચીખલીયા રાત્રે જુમાવાડી વિસ્તારમાં લોકો પાસે દોડી ગયા હતા અને તેમની પાસેથી ફાયરિંગની ઘટનાની માહિતી તેઓએ મેળવી હતી જોકે આ બાબતની ગંભીરતાને ધ્યાન રાખીને હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે પણ સામે આવ્યો નથી જેથી જુમાવાડી વિસ્તારના લોકોને સાથે રાખીને લોકોમાં ડર ઉભો કરવા માટે ફાયરિંગ કરનારા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે






Latest News