ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખૂની હુમલાના કેશમાં આરોપીઓનો નીર્દોષ છૂટકારો


SHARE











મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખૂની હુમલાના કેશમાં આરોપીઓનો નીર્દોષ છૂટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વાસરભાઈ દેસરભાઈ જીલરીયાએ એવી ફરીયાદ નોંધાવેલ કે, આ કામના ફરીયાદીના બનેવીએ આ કામના આરોપીઓના ભાઈ વીરધ્ધ ફરીયાદીના બનેવીના ખેતરમાં ચણા સળગાવી નાખેલ બાબતે ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી બેલા (આમરણ) ગામે ફરીયાદીના ભત્રીજા સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો જેથી કરીને ફરીયાદી છોડાવવા જતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે માથામાં ધોકાનો ધા મારી માથામાં હેમરેજ જેવી જીવલેણ ઈજા કરી હતી તથા અન્ય આરોપીઓએ તેની મદદ કરી હતી

આ બાબતની ફરીયાદી નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ લાખાભાઈ માણસુરભાઈ ખુંગલા અને મગનભાઈ માણસરભાઈ ખુંગલાનાઓની આઈ.પી.સી. કલમ ૩૦૭, ૪૦૫, વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબના ગુનામાં ધરપકડ કરી હતી અને ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલ કેસમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા તથા યોગરાજસિંહ જાડેજા રોકાયેલ હતા. અને ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી ત્યારે તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલો દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા તથા યોગરાજીંહ જે. જાડેજાની તમામ દલીલો ધ્યાને લઈને તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રોહીતસિંહ જાડેજા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News