વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખૂની હુમલાના કેશમાં આરોપીઓનો નીર્દોષ છૂટકારો


SHARE











મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખૂની હુમલાના કેશમાં આરોપીઓનો નીર્દોષ છૂટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વાસરભાઈ દેસરભાઈ જીલરીયાએ એવી ફરીયાદ નોંધાવેલ કે, આ કામના ફરીયાદીના બનેવીએ આ કામના આરોપીઓના ભાઈ વીરધ્ધ ફરીયાદીના બનેવીના ખેતરમાં ચણા સળગાવી નાખેલ બાબતે ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી બેલા (આમરણ) ગામે ફરીયાદીના ભત્રીજા સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો જેથી કરીને ફરીયાદી છોડાવવા જતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે માથામાં ધોકાનો ધા મારી માથામાં હેમરેજ જેવી જીવલેણ ઈજા કરી હતી તથા અન્ય આરોપીઓએ તેની મદદ કરી હતી

આ બાબતની ફરીયાદી નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ લાખાભાઈ માણસુરભાઈ ખુંગલા અને મગનભાઈ માણસરભાઈ ખુંગલાનાઓની આઈ.પી.સી. કલમ ૩૦૭, ૪૦૫, વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબના ગુનામાં ધરપકડ કરી હતી અને ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલ કેસમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા તથા યોગરાજસિંહ જાડેજા રોકાયેલ હતા. અને ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી ત્યારે તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલો દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા તથા યોગરાજીંહ જે. જાડેજાની તમામ દલીલો ધ્યાને લઈને તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રોહીતસિંહ જાડેજા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News