વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ


SHARE











મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ

મોરબી વૈધસભાના પ્રમુખ દ્વારા પાલિકાના જવાબદાર લોકોને લેખિતમાં રજૂઆત કરીને ચાર નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલ શહેરના ચારે તરફ શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો તેમજ અહીંના લોકલ લોકો સીરામીક કારખાનામાં જવા માટે અપડાઉન પણ કરે છે અને તે ઉપરાંત શાળા કોલેજ માટે પણ વિદ્યાર્થીઓ સહિતના અપડાઉન કરતા હોય છે. અધુરામાં પુરૂ રિક્ષાવાળાઓના ભાડા વધી ગયા હોવાથી લોકોને રાહત થાય તે માટે વધુ ચાર નવા રૂટ મોરબી સીટી બસ દ્વારા શરૂ કરવામાં આવવા જોઈએ જેથી કરીને સીટી બસ સેવાને તેનો આર્થિક લાભ થાય અને સાથોસાથ મોરબીના નાગરિકોની સેવામાં પણ વધારો થાય તેમ છે.

આ અંગે રજૂઆત કરતાં મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરુએ જણાવેલ છે કે, મોરબી અને આસપાસની ગ્રામ્ય જનતાને સિટી બસની સુવિધા મળે છે. ત્યારે હજુ ચાર જેટલા નવા રૂટ પર સિટી બસ શરૂ કરવામાં આવે તો તેનો મોરબીવાસીઓને લાભ મળે તેમ બોય લોકોના હીતમાં નવા રૂટ ચાલુ કરવા માંગ કરાયેલ છે તેવું તેમણે જણાવ્યુ હતું અને સત્વરે અમલ કરવાની વિનંતી કરી હતી. વધુમાં રજૂઆતમાં ડો.બી.કે.લહેરૂએ મોરબી નગરપાલિકાથી રેલ્વે સ્ટેશન, મોરબીથી પીપળીયા ચાર રસ્તા સુધી (વાયા જેપુર, ખાખરાળા, બરવાળા), મોરબીથી મોટા જડેશ્વર-નાના જડેશ્વર (વાયા નરસંગ ટેકરી, રવાપર, સજનપર, ધુનડા, નાના જડેશ્વર) અને મોરબીથી ખાનપર (વાયા શક્ત શનાળા, રાજપર, ચાચાપર, થોરાળા) સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News