હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ


SHARE







મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ

મોરબી વૈધસભાના પ્રમુખ દ્વારા પાલિકાના જવાબદાર લોકોને લેખિતમાં રજૂઆત કરીને ચાર નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલ શહેરના ચારે તરફ શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો તેમજ અહીંના લોકલ લોકો સીરામીક કારખાનામાં જવા માટે અપડાઉન પણ કરે છે અને તે ઉપરાંત શાળા કોલેજ માટે પણ વિદ્યાર્થીઓ સહિતના અપડાઉન કરતા હોય છે. અધુરામાં પુરૂ રિક્ષાવાળાઓના ભાડા વધી ગયા હોવાથી લોકોને રાહત થાય તે માટે વધુ ચાર નવા રૂટ મોરબી સીટી બસ દ્વારા શરૂ કરવામાં આવવા જોઈએ જેથી કરીને સીટી બસ સેવાને તેનો આર્થિક લાભ થાય અને સાથોસાથ મોરબીના નાગરિકોની સેવામાં પણ વધારો થાય તેમ છે.

આ અંગે રજૂઆત કરતાં મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરુએ જણાવેલ છે કે, મોરબી અને આસપાસની ગ્રામ્ય જનતાને સિટી બસની સુવિધા મળે છે. ત્યારે હજુ ચાર જેટલા નવા રૂટ પર સિટી બસ શરૂ કરવામાં આવે તો તેનો મોરબીવાસીઓને લાભ મળે તેમ બોય લોકોના હીતમાં નવા રૂટ ચાલુ કરવા માંગ કરાયેલ છે તેવું તેમણે જણાવ્યુ હતું અને સત્વરે અમલ કરવાની વિનંતી કરી હતી. વધુમાં રજૂઆતમાં ડો.બી.કે.લહેરૂએ મોરબી નગરપાલિકાથી રેલ્વે સ્ટેશન, મોરબીથી પીપળીયા ચાર રસ્તા સુધી (વાયા જેપુર, ખાખરાળા, બરવાળા), મોરબીથી મોટા જડેશ્વર-નાના જડેશ્વર (વાયા નરસંગ ટેકરી, રવાપર, સજનપર, ધુનડા, નાના જડેશ્વર) અને મોરબીથી ખાનપર (વાયા શક્ત શનાળા, રાજપર, ચાચાપર, થોરાળા) સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News