ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ


SHARE











મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ

મોરબી વૈધસભાના પ્રમુખ દ્વારા પાલિકાના જવાબદાર લોકોને લેખિતમાં રજૂઆત કરીને ચાર નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલ શહેરના ચારે તરફ શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો તેમજ અહીંના લોકલ લોકો સીરામીક કારખાનામાં જવા માટે અપડાઉન પણ કરે છે અને તે ઉપરાંત શાળા કોલેજ માટે પણ વિદ્યાર્થીઓ સહિતના અપડાઉન કરતા હોય છે. અધુરામાં પુરૂ રિક્ષાવાળાઓના ભાડા વધી ગયા હોવાથી લોકોને રાહત થાય તે માટે વધુ ચાર નવા રૂટ મોરબી સીટી બસ દ્વારા શરૂ કરવામાં આવવા જોઈએ જેથી કરીને સીટી બસ સેવાને તેનો આર્થિક લાભ થાય અને સાથોસાથ મોરબીના નાગરિકોની સેવામાં પણ વધારો થાય તેમ છે.

આ અંગે રજૂઆત કરતાં મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરુએ જણાવેલ છે કે, મોરબી અને આસપાસની ગ્રામ્ય જનતાને સિટી બસની સુવિધા મળે છે. ત્યારે હજુ ચાર જેટલા નવા રૂટ પર સિટી બસ શરૂ કરવામાં આવે તો તેનો મોરબીવાસીઓને લાભ મળે તેમ બોય લોકોના હીતમાં નવા રૂટ ચાલુ કરવા માંગ કરાયેલ છે તેવું તેમણે જણાવ્યુ હતું અને સત્વરે અમલ કરવાની વિનંતી કરી હતી. વધુમાં રજૂઆતમાં ડો.બી.કે.લહેરૂએ મોરબી નગરપાલિકાથી રેલ્વે સ્ટેશન, મોરબીથી પીપળીયા ચાર રસ્તા સુધી (વાયા જેપુર, ખાખરાળા, બરવાળા), મોરબીથી મોટા જડેશ્વર-નાના જડેશ્વર (વાયા નરસંગ ટેકરી, રવાપર, સજનપર, ધુનડા, નાના જડેશ્વર) અને મોરબીથી ખાનપર (વાયા શક્ત શનાળા, રાજપર, ચાચાપર, થોરાળા) સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News