મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ધડાકાભેર તૂટી પડ્યો


SHARE







ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ધડાકાભેર તૂટી પડ્યો

મોરબી જિલ્લાના ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે પ્રવેશદ્વાર બનાવ્યો હતો આ પ્રવેશદ્વાર ધડાકાભર બપોરે તૂટી પડ્યો હતો જોકે સદનસીબે બપોરે ટંકારાના માર્ગ ઉપર અવરજવર ઓછી હતી જેથી કોઈ જાનહાની થયેલ નથી પરંતુ જો આ ગેટ ત્યાંથી પસાર થઈ રહેલ ખાનગી સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો ગોઝારો અકસ્માત સર્જાત તેવું ગામના લોકો કહી રહ્યા છે

મોરબીમાં આવેલ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને 135 જેટલા લોકોના મોત નીપજ્યા હતા આ દુર્ઘટના ના પડઘા ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ સમગ્ર ભારત દેશની અંદર પડ્યા છે અને આ ઘટનાની સાહી હજુ તો સુકાઈ નથી અને જે લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા તેની આંખના આંસુ સુકાયા નથી ત્યાં આજે વધુ એક દુર્ઘટના મોરબી જિલ્લાના ટંકારામાં બનતા સહેજમાં પડી છે આજે બપોરના સમયે ટંકારાના ઉગમણા નાકા પાસે હેમંતભાઈ લો ના સ્મરણાર્થે તેના દીકરા અને ભત્રીજાઓ દ્વારા જે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો હતો તે ગેટ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

જોકે સદનસીબે આ ગેટ તૂટી પડ્યો ત્યારે ત્યાં નીચેથી કોઈ નિર્દોષ વ્યક્તિ પસાર થતી ન હતી જેથી કરીને જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ગેટ તૂટી પડ્યો તેની ગણતરીની સેકન્ડો પહેલા જ ત્યાંથી બે ખાનગી સ્કૂલની બસો પસાર થઈ હતી અને જો આ ગેટ તે સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો મોરબીમાં જે રીતે ગોજારો અકસ્માત બન્યો હતો તેવો જ ગોઝારો અકસ્માત આજે ટંકારામાં બન્યો હોત અને વધુમાં લોકોના કહેવા મુજબ સાત મહિના પહેલા બનાવવામાં આવેલ ગેટ તૂટી પડ્યો છે ત્યારે અન્ય જોખમી બાંધકામોનો પણ સર્વે કરીને મોરબી જિલ્લામાં વહેલામાં વહેલી તકે જોખમી બાંધકામોને હટાવી લેવામાં આવે તેવી ટંકારા ના લોકોની માંગ છે






Latest News