ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કન્વેનેટર બેલ્ટમાં આવી જવાના કારણે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ આઈકા સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાલ (ઉંમર ૨૧) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કન્વેરેટર બેલ્ટમાં આવી જવાના કારણે મનીષભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોહનભાઈ ભુરીયા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઉંદર મારવાની દવા પી જતા સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતો મિહિર શૈલેષભાઈ રામાનુજ નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ કારણસર તેના ઘેર ઉંદર મારવાની દવા પી ગયો હતો જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવની જાણ થવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સનાળા રોડ સરદારબાગ પાસે ફૂટપાથ ઉપર રહેતા સુરેશભાઈ પિત્રોડા નામના ૭૭ વર્ષના વૃદ્ધ રસ્તા ઉપર પડી જતા તેઓને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.





Latest News