ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના સાપકડા ગામે વાડીએ દવા પી ગયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી વિસ્તારમાં રહીને કામકાજ કરતા વૃદ્ધા ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેમને સારવારમાં ખસેડા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજવાનું જાણવા મળેલ છે.

હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરતભાઇ કાનજીભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૫૨) ધંધો ખેતીકામ રહે.જુના સાપકડા હળવદએ પોલીસ મથકે જાહેર કર્યુ હતુ કે તેમના માતા વાલીબેન કાનજીભાઇ વજાભાઇ મકવાણા જાતે સતવારા (ઉ.વ.૭૨) રહે.જુના સાપકડા તા.હળવદ જી. મોરબી તા.૭-૧૨ ના સવારે ૧૧ વાગ્યાના અરસામાં તેમના ધરે કોઇ કારણસર કોઇ ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન વાલીબેનનું મોત નીપજયુ હતુ.

બીમારી મોત

મોરબી નજીકના લાલપર ગામે આવેલ સિરામીકના કારખાનાના ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતી અને મૂળ મધ્યપ્રદેશની મહિલાનું ટૂંકી બીમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્ઞાનાબાઇ ઉર્ફે જસ્માબાઇ અંબારામભાઇ દમડીયાભાઇ ખદેડા જાતે આદીવાસી (ઉ.વ.૩૩) રહે. લાલપર ગામની સીમ નાઇસ સીરામીક કારખાનાના લેબર કવાટર્સમાં તા.જી.મોરબી મૂળ રહે ચીતવેલ ધરમપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ તેના લેબર ક્વાર્ટરમાં હતી અને છેલ્લા થોડા દિવસોથી બીમાર હોય બીમારી સબબ તેણીનું મોત નીપજયુ હતું.તેનો લગ્ન ગાળો દસેક વર્ષનો હોય પીએમ માટે ડેડબોડી લાવવામાં આવ્યું હતું જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી અને જે અંગે જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ કરાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી ગામે આવેલ ભૂમિ ટાવરમાં રહેતા દિનેશભાઈ જેમલભાઈ ભંખોડીયા નામના ૨૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે અને બનામ અંગે નોંધ કરી તે અંગે આગળની તપાસ લાવવામાં આવી રહી છે.






Latest News