ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી


SHARE











હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં એસી એગ્રો ટેકનોલોજી નામના રોટાવેટર બનાવવાના કારખાનાની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગત તા.૧-૧૨ ના રોજ ત્રણ યુવાનો નર્મદાની કેનાલમાં ડૂબ્યા હતા અને ત્રણેયના મૃતગેહો જ બહાર કાઢવામાં આવ્યા હતા જે અંગે હળવદ પોલીસમાં નોંધ થવા પામી છે.

આ અંગે હાલમાં શ્રવણ ઈશ્વરભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૬૦) ધંધો ખેતીકામ રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠાએ હળવદ પોલીસમાં જાહેર કર્યું હતું કે કેવારામ સવસીરામ ઠાકોર (ઉ.વ.૨૩) રહે.ભમરીયા તા. રાણીવાડા જી.જાલોર રાજસ્થાન, અલ્પેશભાઇ શ્રવણભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૧૮) રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠા અને મહેન્દ્રભાઇ વાલારામ ડાભી જાતે કોળી (ઉ.વ.૧૮) રહે ભમરીયા તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાન રણજીતગઢ ગામની સીમમા એસી એગ્રો ટેકનોલોજી નામના રોટોવેટર બનાવવાના કારખાનાની પાછળ આવેલ નર્મદા કેનાલમા ન્હાવા માટે જતા નર્મદા કેનાલના પાણીમા ત્રણેય તણાઇ ડુબી જતા ત્રણેયના મોત નિપજેલ છે.હાલમાં એમ.એમ.સદાદીયા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

જામનગર ખાતે આવેલ ગુરુદ્વારા ચોકડી પાસે રહેતા રંભીબેન દેવાયતભાઈ લાઠીયા (૬૫) અને પીંભીબેન અરજણભાઈ વસરા (૬૦) નામના બે વૃદ્ધાઓ જામનગરના જોડીયા તાલુકાના માવના ગામ પાસે આવેલ ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે તેઓની રીક્ષા ત્યાં પલટી મારી જતા ઇજાગ્રસ્ત થયેલા રંભીબેન અને પીંભીબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને પ્રાથમીક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવ્યા આવવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News