મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી


SHARE









હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં એસી એગ્રો ટેકનોલોજી નામના રોટાવેટર બનાવવાના કારખાનાની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગત તા.૧-૧૨ ના રોજ ત્રણ યુવાનો નર્મદાની કેનાલમાં ડૂબ્યા હતા અને ત્રણેયના મૃતગેહો જ બહાર કાઢવામાં આવ્યા હતા જે અંગે હળવદ પોલીસમાં નોંધ થવા પામી છે.

આ અંગે હાલમાં શ્રવણ ઈશ્વરભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૬૦) ધંધો ખેતીકામ રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠાએ હળવદ પોલીસમાં જાહેર કર્યું હતું કે કેવારામ સવસીરામ ઠાકોર (ઉ.વ.૨૩) રહે.ભમરીયા તા. રાણીવાડા જી.જાલોર રાજસ્થાન, અલ્પેશભાઇ શ્રવણભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૧૮) રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠા અને મહેન્દ્રભાઇ વાલારામ ડાભી જાતે કોળી (ઉ.વ.૧૮) રહે ભમરીયા તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાન રણજીતગઢ ગામની સીમમા એસી એગ્રો ટેકનોલોજી નામના રોટોવેટર બનાવવાના કારખાનાની પાછળ આવેલ નર્મદા કેનાલમા ન્હાવા માટે જતા નર્મદા કેનાલના પાણીમા ત્રણેય તણાઇ ડુબી જતા ત્રણેયના મોત નિપજેલ છે.હાલમાં એમ.એમ.સદાદીયા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

જામનગર ખાતે આવેલ ગુરુદ્વારા ચોકડી પાસે રહેતા રંભીબેન દેવાયતભાઈ લાઠીયા (૬૫) અને પીંભીબેન અરજણભાઈ વસરા (૬૦) નામના બે વૃદ્ધાઓ જામનગરના જોડીયા તાલુકાના માવના ગામ પાસે આવેલ ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે તેઓની રીક્ષા ત્યાં પલટી મારી જતા ઇજાગ્રસ્ત થયેલા રંભીબેન અને પીંભીબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને પ્રાથમીક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવ્યા આવવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News