વાંકાનેરમાં કોંગ્રેસનો ગઢ તોડતા જીતુભાઈ સોમાણી: ૧૯૯૫૫ મતની લિડે વિજય
SHARE
વાંકાનેરમાં કોંગ્રેસનો ગઢ તોડતા જીતુભાઈ સોમાણી: ૧૯૯૫૫ મતની લિડે વિજય
કોંગ્રેસનાં ગઢ સમાન વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને મતદારોએ ખોબલે ખોબલે મત આપેલ હોવાથી આ બેઠક ઉપર આ ચુંટણીમાં કમળ ખીલી ઉઠ્યું છે અને ત્યાં હિંદુત્વનું કાર્ડ ચાલ્યું હોવાથી જીતુ સોમાણી ૧૩૦૦૦ થી વધુ મતની લીડ સાથે વિજય બનેલ છે
છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના મહમદ જાવિદ પીરઝાદા આ બેઠક ઉપર ઉ\વિજય મેળવતા હતા જેથી કરીને કોંગ્રેસનાં ગઢ સમાન આ બેઠકને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા મતે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીને મેદાનમાં ઉતાર્યા હતા અને વર્ષોથી લોકોના કામ કરતાં અને લોકોની વચ્ચે રહેતા જીતુભાઈ સોમાણીને મતદારોએ ખોબલે ખોબલે મત આપેલ છે જેથી કોંગ્રેસનો ગઢ આ ચુંટણીમાં તૂટી ગયેલ છે અને ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી ૧૯૯૫૫ મતની લીડથી કોંગ્રેસનાં ઉમેદવારની સામે વિજય બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, ભાજપના ચૂંટણી પ્રચાર માટે બુલડોઝર બાબા તરીકે જાણીતા યોગી આદિત્યનાથ વાંકાનેરમાં આવ્યા હતા અને કોંગ્રેસનાં ગઢ સમાન આ બેઠક ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ ભાજપના જીતુભાઈ સોમાણીને ૮૦૬૭૭ મત, કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવિદ પીરઝાદાને ૬૦૭૨૨ મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીને ૫૩૪૮૫ મત મળ્યા છે આમ જીતુભાઈ સોમાણી ૧૯૯૫૫ મતે વિજય બનેલ છે