ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ધ્રાંગધ્રા-હળવદમાં પ્રકાશ વરમોરા ૩૨૦૦૦ થી વધુ મતે શાનદાર વિજય


SHARE











ધ્રાંગધ્રા-હળવદમાં પ્રકાશ વરમોરા ૩૨૦૦૦ થી વધુ મતે શાનદાર વિજય

ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપર આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાની ૩૨૦૦૦ થી વધુની લીડ સાથે શાનદાર જીત થયેલ છે અને ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને કોંગ્રેસની ટિકીટ મેળવીને ચૂંટણીનાં જંગમાં ઉતરેલા સ્વચ્છ પ્રતિભા ધરાવતા સીરામીક ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરા ઉપર મતદારોએ પસંદગીનો કળશ ઢોળયો છે ત્યારે ભાજપ પરિવાર અને સીરામીક પરિવારમાં હર્ષની લાગણી છે

ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને ટિકીટ આપવામાં આવી હતી અને કોળી સમાજને ટિકીટ આપી ન હોવાથી અહિયાં ભાજપ વિજય નહીં બને તેવી વાતો કરવામાં આવી રહી હતી જો કે, સ્વચ્છ પ્રતિભા ધરાવતા સીરામીક ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરા ભાજપના ઉમેદવાર હતા અને તેની સામે કોંગ્રેસ દ્વારા ભાજપથી ગયેલા છત્રસિંહ ગુંજારીયાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા અને આ બેઠક ઉપર ત્રિપાખીયો જંગ હતો તેમાં ભાજપના પ્રકાશભાઈ વરમોરાને ૯૩૨૬૫ મત, કોંગ્રેસના છત્રસિંહ ગુંજારીયાને ૫૯૮૬૯ મત મળેલ છે અને પ્રકાશભાઈ વરમોરા ૩૩૩૯૬ મતોની લીડ સાથે વિજય બનેલ છે 






Latest News