ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે બાળકોને તમાકુ સહીતનાવ્યસનોથી દુર રહેવા કરાયા માહીતગાર


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે બાળકોને તમાકુ સહીતનાવ્યસનોથી દુર રહેવા કરાયા માહીતગાર

મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઈ હતી.મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઈ હતી.

તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા શ્રી રફાળેશ્વર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું.આ તમાકુ નિષેધ વકૃત્વ સ્પર્ધામાં ૨૫૦ જેટલા બાળકો એ ભાગ લીધેલ હતો જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે પોતાની શૈલીમાં વક્તવ્ય આપવામાં આવ્યું.આ વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ બાળકોને ઇનામ આપવા આપવામાં આવેલ હતા ભાગ લેનાર તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ આપવા આવેલ હતા તેમજ શાળાના તમામ બાળકો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમને અંતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે બાળકોને પ્રોજેક્ટર પર દર્શાવીને સમજાવ્યા હતા તેમજ બાળકોએ અને તેમના પરિવારજનો આ દુષણથી દૂર રહે તે માટે અપીલ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા રફાલેશ્વર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના સી.એચ.ઓ. મકસુદભાઈ સૈયદ, એફ.એચ.ડબલ્યું સાહિસ્તા દેખાવાડીયા અને આશા વર્કર તેમજ શાળા એસ.એમ.સી.ના સભ્ય પુષ્પાબેન મકવાણાએ જહેમત ઉઠાવી હતી






Latest News