વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતને લઈને ખોટી માહિતી ટ્વિટ કરનાર પત્રકાર જામીન મુકત
મોરબીના રફાળેશ્વર ગામે બાળકોને તમાકુ સહીતનાવ્યસનોથી દુર રહેવા કરાયા માહીતગાર
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે બાળકોને તમાકુ સહીતનાવ્યસનોથી દુર રહેવા કરાયા માહીતગાર
મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઈ હતી.મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઈ હતી.
તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા શ્રી રફાળેશ્વર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું.આ તમાકુ નિષેધ વકૃત્વ સ્પર્ધામાં ૨૫૦ જેટલા બાળકો એ ભાગ લીધેલ હતો જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે પોતાની શૈલીમાં વક્તવ્ય આપવામાં આવ્યું.આ વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ બાળકોને ઇનામ આપવા આપવામાં આવેલ હતા ભાગ લેનાર તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ આપવા આવેલ હતા તેમજ શાળાના તમામ બાળકો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમને અંતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે બાળકોને પ્રોજેક્ટર પર દર્શાવીને સમજાવ્યા હતા તેમજ બાળકોએ અને તેમના પરિવારજનો આ દુષણથી દૂર રહે તે માટે અપીલ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા રફાલેશ્વર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના સી.એચ.ઓ. મકસુદભાઈ સૈયદ, એફ.એચ.ડબલ્યું સાહિસ્તા દેખાવાડીયા અને આશા વર્કર તેમજ શાળા એસ.એમ.સી.ના સભ્ય પુષ્પાબેન મકવાણાએ જહેમત ઉઠાવી હતી