મોરબી : હળવદ તાલુકાની બ્રાહમણી નદીમાંથી રેતી ચોરીના કેસ પ્રકરણમાં આરોપી સોયબ આદમભાઈ ખલીફાનો જામીન પર છુટકારો
SHARE
મોરબી : હળવદ તાલુકાની બ્રાહમણી નદીમાંથી રેતી ચોરીના કેસ પ્રકરણમાં આરોપી સોયબ આદમભાઈ ખલીફાનો જામીન પર છુટકારો
હળવદ તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ચાડધ્રા ગામની સીમમાંથી બ્રાહમણી નદીના પટમાંથી ગરકાયદેસર ખનીજ ખનન તથા વાહન તથા નદીના પટમાંથી કુલ ૨૧૧૪૮૨.૧૧ મેટ્રીક ટન સાદી રેતી અનીજનું બીન અધીકૃત રીતે ખોદકામ તથા ચોરી કરી લઈ જતા અન્વયે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ.આરોપી સોયબ આદમભાઈ ખલીફાનો તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા.
આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે.આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે.ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓ ને ધ્યાને આરોપીઓને જામીન પર મુકત કરવા દલીલ કરેલ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ આર.અગેચાણીયાની દલીલ માન્ય રાખી તમામ આરોપીઓને રૂા.૧૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા, મનીષા સોલંકી, રવી ચાવડા રોકાયેલા હતા.